વેરાવળ, તા.25
મતદાનની ટકાવારી વધે અને આગામી લોકસભાની ચૂંટણી અન્વયે તા.7 મેના રોજ બહોળી સંખ્યામાં નાગરીકો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સુદ્રઢ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
તાલાલા નરસિંહ ટેકરી વિસ્તારમાં નાના દુકાનદારો, વયોવૃદ્ધ નાગરિકો અને બહેનો સાથે પ્રાથમિક શાળા ખાતે મતદાર જાગૃતિ અભિયાન સંવાદ કરવામાં આવ્યો હતો. તેમજ સુત્રાપાડા નગરપાલિકા વિસ્તારમાં પ્રતિષ્ઠિત નાગરિકો તથા વેપારીઓમાં મતદાન જાગૃતિ અન્વયે સંવાદ કરવામાં આવ્યો હતો અને મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
ગીરગઢડા ગામના પાણીયારી વસાહતની જલારામ વાડી ખાતે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, સ્થાનિક નાગરિકો તેમજ આગેવાનો સાથે મતદાન જાગૃતિ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તુલસીશ્યામ યાત્રાધામ ખાતે પણ પ્રવાસીઓ, દુકાનદારો, સ્થાનિકો સાથે બેનર, સેલ્ફી દ્વારા જાગૃતિ લાવવા ભગીરથ પ્રયાસ કરાયો હતો. (તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy