વેરાવળ, તા.2
લોકસભા ચૂંટણી 2024માં કોઈપણ મતદાર પોતાનાં મતદાનનાં અધિકારથી વંચિત ન રહી જાય અને જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તેવા સંકલ્પ સાથે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે. વેરાવળ બાર એસોસિએશન દ્વારા મતદાન જાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજેન્દ્રભૂવન રોડ ખાતે આવેલ કોર્ટ બિલ્ડીંગ ખાતેથી પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ પી.એસ.ગઢવીએ આ બાઈક રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા સહિતના અધિકારીઓ અને વકીલો જોડાયા હતાં. કાયદાના રખેવાળ એવા વકીલો દ્વારા લોકશાહીના મહામૂલા પર્વને અનુસંધાને રાજ્યના છેવાડાના નાગરિક પણ ચૂંટણીના મહાપર્વમાં જોડાય તે અંગે જાગૃતિ આવે અને યુવા મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે માટે આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ઉપસ્થિત સર્વેએ ‘હું અવશ્ય મતદાન કરીશ’નો સંકલ્પ લીધો હતો. આ બાઈક રેલી રાજેન્દ્રભૂવન ખાતે આવેલ કોર્ટ બિલ્ડિંગથી શરૂ થઈ સિવિલ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ તેમજ ટાવર ચોકથી થઈ પાટણ દરવાજા પોલીસ સ્ટેશને પૂર્ણ થઈ હતી. આ બાઈક રેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબહેન બારૈયા, સરકારી વકીલ કેતનસિંહ વાળા, વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સૂર્યકાંત સવાણી સહિત ન્યાયજગત સાથે સંકળાયેલા લોકો જોડાયાં હતાં.
(તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy