મીલન ઠકરાર વેરાવળ વેરાવળ,તા.19 લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ વધે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના લોકો તા.7 મેના રોજ લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના અવસરમાં લોકો સહભાગી બનીને લોકશાહીને મજબૂત બનાવે તે માટે વેરાવળ તાલુકા પંચાયત દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત તાલુકા પંચાયતમાં આવતાં અરજદારોને ટૂંકા સમયગાળાની અવધિના દસ્તાવેજો જેવા કે, આવકનો દાખલો, નોનક્રિમિલિયર સહિતના દાખલાઓમાં ‘અવશ્ય મતદાન કરો’નો સિક્કો મારીને આપવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy