જામ ખંભાળિયા, તા.6
ખંભાળિયામાં મુંબઈના જાણીતા જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને મીઠાઈના બોકસ આપી, શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ખંભાળિયા નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારની હરીપર તાલુકા શાળા ખાતે દ્વિતીય સત્રના પરિણામ પત્રના દિવસે જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ- મુંબઈ દ્વારા ટ્રસ્ટી શ્રીમતી નીતાબેન મનીષભાઈ અમલાણી (હ. સપનાબેન મુકેશભાઈ કાનાણી- ટ્રસ્ટી) તરફથી દરેક બાળકને મીઠાઈનું બોક્સ આપી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. બાળક તેના ઉજવળ ભવિષ્યના પથ પર વધુને વધુ પ્રગતિ કરે તેમજ શાળા અને તેના પરિવારનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય છગનભાઈ પરમાર દ્વારા ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આયોજન માટે શાળા પરિવાર દિપેનકુમાર બારાઈ, કાળુભાઈ ગોજીયા, સપનાબેન રૂપારેલ, શત્રુઘ્નભાઈ ગોજીયા, રાજેન્દ્રસિંહ ઠાકોર, પૂર્ણાબા ગોહિલ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો.
(તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy