(દિપક કનૈયા) બાબરા, તા.23
બાબરા તાલુકાના રાયપર ગામે પરમ પૂજ્ય સંત વીરાઆપાની તિથિ મહોત્સવ આગામી તા 24- 25/ એપ્રિલના રોજ બે દિવસીય મહોત્સવ ઉમંગભેર ઉજવાશે.
સંત વિરાઆપા ને સૌરાષ્ટ્રના બાબરા તાલુકાના રાયપર ગામે લેનેકુ હરી નામ હે દેનેકુ હે અન્નદાન તરને કુ આધીનતા બુડનકો અભીમાન આવું ભજન કરીને તપોભૂમિ રાયપરધામ બનાવી ભજન-ધ્યાન-ભક્તિની સાધના કરીને જીવન મુક્તિના માર્ગો ચીંધ્યા છે.
પ. વિરાઆપા નો મુખ્ય ધ્યેય એજ હતો. ગાંડા ઘેલા માણસો ની સેવા કરવી તથા લુલી - લંગડી ગાયુ ની સેવા કરવી તથા કુતરાઓને રોટલા ની સેવા તથા સર્વ માનવ ને ટુકડો આપવો ને સર્વ ઘટમા હરીપ્રભુભગવાન માની સેવા કરવી.
આવી આજના યુગની સુપ્રસિધ્ધ જગ્યાના મહાપુરુષ મહાત્મા પરમ પૂ. સંત વિરાઆપા ની તિથિ મહોત્સવ રાયપર ગામે વિરાઆપા ની જગ્યા ના મહંત હિપાબાપુ દ્વારા વિષેશ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભજન,ભોજન અને ભક્તિની ત્રિવેણી સંગમ વચ્ચે વહેલી સવારે સમાધી મંદિરે આરતી પૂજન ધ્વજા આહોરણ સત્સંગ સભા બપોરે ભોજન પ્રસાદ તેમજ તા-24/4ના રોજ રાત્રીના રાપયરધામના પટાંગણમાં સંતવાણીના આરાધક રામદાસજી ગોંડલિયા પોપટભાઈ માલધારી સહીતના કલાકારો તેમજ નકળંગધામ તોરણીયા મહંતી રાજેન્દ્રદાસ બાપુ, મહંત વિજયબાપુ - સતાધાર ગાદિપતી પૂ. નીર્મળાબા તથા પૂ. ભયલુબાપુ - પાળીયાદ મહંત ભરતપુરીબાપુ- થરા મહંત નરેન્દ્રબાપુ - ચોટીલા મહંત રમજુબાપુ સાંગાણા મહંત શ્રી લહેરગીરી બાપુ - કોટીયા મહંત શ્રી મુનાબાપુ - દ્વારકા મહંત જીણારામ બાપુ - સીહોર મહંત મહાદેવભારતી બાપુ - ભવનાથ જુનાગઢ સહિત નામી અનામી સાધુ સંતો અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા લાઠી બાબરા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિતનાં મોટી સંખ્યામાં સંત શ્રી વીરાઆપા ની જગ્યા ના સેવક સમુદાય ઉપસ્થિત રહેશે ત્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાયપરધામના મહંત શ્રી હિપાબાપુ અને સેવકગણ જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy