ક્ષાત્રવટના આંદોલનનો ’પાર્ટ- 2’ તૈયાર

મત એ જ શસ્ત્ર, હવે તમામ 26 બેઠક પર ભાજપ વિરૂદ્ધ મતદાન : ક્ષત્રિય સમાજની જાહેરાત

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Ahmedabad | 20 April, 2024 | 11:58 AM
◙ અમદાવાદમાં મળેલી ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક બાદ કરણસિંહ ચાવડાએ મોટી જાહેરાત કરી
સાંજ સમાચાર

◙ સમગ્ર રાજ્યના 5 ઝોનમાં ક્ષત્રિય સમાજ ધર્મરથ કાઢશે : રાજ્યભરમાં રજપૂત સમાજની બહેનો એક સપ્તાહ સુધી પ્રતિક ઉપવાસ કરશે, તેમજ રાજપૂત સમાજ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરશે

◙ કાળા વાવટાના બદલે કેસરી વાવટા સાથે વિરોધ નોંધાવશે : રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની બેઠક, રણનીતિ ઘડાશે

અમદાવાદ : 
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન કરાતા રાજપૂત સમાજ હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. ગઈકાલે ગોતા ખાતે મળેલી ક્ષત્રિય કોર કમિટીની બેઠકમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમા આજથી ક્ષત્રિય સમાજ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરશે. આજથી જ ક્ષત્રિય સમાજની બહેનો એક સપ્તાહ સુધી પ્રતિક ઉપવાસ કરશે. દરરોજ એક જિલ્લામાં પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. રાજ્યના 5 ઝોનમાં 5 ધર્મરથ કાઢવામાં આવશે.

ક્ષત્રિય સમાજનું નવું સૂત્ર, ‘મત એ જ શસ્ત્ર’.
દરેક જિલ્લામાં ક્ષત્રિય સમાજના પ્રવક્તાની નિયુક્તિ કરવામાં આવશે. રાજકોટમાં કાલે ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચશે. વિરોધ માટે પણ યુવાનોની કમિટી બનાવવામાં આવશે. ક્ષત્રિય સમાજનં નવુ સૂત્ર મત એ જ શસ્ત્ર રહેશે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપને હરાવવા ક્ષત્રિય સમાજે બાંયો ચડાવી છે, જેમા રાજકોટ બેઠકથી રૂપાલાને હરાવીને જ રહીશુ તેવી ચીમકી ઉચ્ચારી છે. ક્ષત્રિય સમાજે જણાવ્યુ છે કે ક્ષત્રિયોની જરૂર ન હોય તો ક્ષત્રિયોને પણ ભાજપની જરૂર નથી.

શાંતિથી વિરોધ કરતા વખતે અટકાયત ન થાય તે મુદ્દે ક્ષત્રિય સમાજ હાઇકોર્ટમાં રિટ દાખલ કરશે :
રાજ્યના ગૃહવિભાગ દ્વારા કાળા વાવટા ન ફરકાવવા મુદ્દે ચૂંટણીલક્ષી જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે. જેમા કાળા વાવટા નહી ફરકાવવાનો વિશેષ ઉલ્લેખ કરાયો છે. તો કાળા ની બદલે હવે કેસરી વાવટા ફરકાવી વિરોધ કરશે. પરંતુ કોઈ પણ પ્રકારની ધરપકડ ન થાય તે માટે ક્ષત્રિય સમાજ  હાઇકોર્ટમાં રિટ દાખલ કરશે. આ પ્રકારના જાહેરનામા દ્વારા સત્તાવાર રીતે બહાર પાડીને ક્ષત્રિય આંદોલનને અટકાવવા માટે પોલીસને કામગીરી સોંપવામાં આવી છે તેની સામે પણ ક્ષત્રિય સમાજ PIL કરશે.

હવે અમારું લક્ષ્ય બોયકોટ ભાજપ: કરણસિંહ 300 મહિલાની ફોર્મ ભરવાની વાત પણ તેમણે કહ્યું કે, યુદ્ધમાં રણનીતિ હોય છે જે બદલવામાં આવી છે. સમાજના અન્ય આગેવાનોને મળ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે જેમને હરાવવામાં મતો તૂટી જશે, અમે મહિલાઓ ફોર્મ ભરવાનું મોકૂફ રાખ્યો, અમે ભાજપનો વિરોધ કરીશું, કયા પક્ષને મત આપવો તેની કોઈ સ્પષ્ટતા ન કરી. ભાજપનો વિરોધ કરીશું એટલે સામે જે પક્ષ હસે એને ફાયદો થશે, સર્વાનુમતે અમે ઠરાવો કર્યા છે.

હવે પુરુષોત્તમ રૂપાલાની વાત પૂરી થઈ ગઈ, લોકોને હવે અમારા સુધી લાવવાનું છે, હવે અમારું લક્ષ્ય ભાજપ બોયકોટ છે. વધુમાં જણાવતા કહ્યું કે, અમે 100 ટકા રૂપાલાને હરાવીશું, અમે બુથ સુધી જઈશું, 8 સીટો પર ભાજપ ડેમેજ થાય છે, 26 બેઠકો પર અમારે ભાજપને ડેમેજ કરવાનું છે, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર વગેરે જગ્યાએ ડેમેજ થશે. આજથી ભાજપનો બોયકોટ શરૂ થશે, ભાજપને કાંટાની ટક્કર આપીશું

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj