રાજકોટ, તા. 18
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2024 અંતર્ગત સ્વચ્છતામાં મહિલાઓની સહભાગીતા અને નેતૃત્વને મજબુત કરવા માટે મહિલાઓને સ્વચ્છતા અંગે માહિતી માર્ગદર્શન મળી રહે તે હેતુથી તા.16-4નાં રોજ રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.2 ખાતે આવેલ રાજીવનગર વિસ્તારમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (ઉઅઢ-ગઞકખ) અંતર્ગત સંકળાયેલ સ્વ-સહાય જૂથની રચના કરી જુથમાં જોડાયેલ બહેનોને સરકારની અન્ય યોજનાઓ સાથે જોડાણ થાય તથા જૂથના સભ્યો તેમના મહોલ્લા કે શેરી ફળીયાના લોકો સ્વચ્છતા પ્રત્યે સભાન બને તે માટે માહિતી માર્ગદર્શન પણ આપવામાં આવેલ હતું.
જેમાં બહેનોને સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ અંગે માર્ગદર્શન, 3-આર(રીડ્યુઝ, રીયુઝ અને રીસાઈકલ) સિનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર શ્રીદિપ્તીબેન આગરીયા તથા સિનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર ડો. નયનાબેન કાથડ તથા જખઈંઉ મેનેજર એસ.કે.બથવાર દ્વારા આપવામાં આવેલ હતી.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણમાં રાજકોટ શહેર શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે તે માટે લોકોને જાગૃત કરવા માટે સ્વ-સહાય જૂથની મહત્વની ભૂમિકા રહેલ છે. આ માર્ગદર્શન કાર્યક્રમમાં સ્વ-સહાય જૂથના બહેનો દ્વારા રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટેની કટિબધ્ધતા દર્શાવેલ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy