જામનગર તા.19
જામનગરમાં અંબર ચોકડી પાસે મનપાની પાણીની લાઈન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. નજીકના વિસ્તારોની શેરીઓમાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી.
જામનગરમાં ગુરૂવારે સવારે અંબર ચોકડી પાસે મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઈન લીકેજ થઈ હતી.આથી પાણીના ફુવાર થયા હતાં. લાઈન લીકેજ થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આટલું નહીં આજુબાજુના વિસ્તારોની શેરીઓમાં પાણીની રેલમછેલ થઈ ગઇ હતી. આટલું જ નહીં પાણીની લાઈન લીકેજ થતાં અમુક વિસ્તારોમાં પ્રાણી વિતરણમાં પણ વિક્ષેપ થયો હતો અને મનપાના કર્મીઓ ધંધે લાગ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy