(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 26
પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અપનમાનજનક ટીપ્પણી કરવા મામલે ક્ષત્રિય સમાજે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટીકીટ રદ કરવા માંગ કરી હતી. પરંતુ ટીકીટ રદ ન કરવામાં આવતા ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ધામા ખાતે આવેલા શક્તિમાતાના મંદિરથી ધર્મરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. જે લીંબડી ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રથ સાથે રેલીમાં જોડાયા હતા. અને ભાજપ સામે પોતાનો રોષ વ્યક્ત કરી ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો ખુલ્લો વિરોધ કરવાની ચીમકી આપી છે.
પુરૂષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનને લઇને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે આંદોલન પાર્ટ-2 અંતર્ગત ધામાથી શરૂ થયેલો ધર્મરથ લીંબડી ખાતે આવી પહોચ્યો હતો. જ્યાં ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ધર્મરથ સાથે જોડાયા હતા. અને શહેરમાં ભવ્ય રેલી યોજી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ધર્મરથ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 3 દિવસ ફરશે અને દરેક તાલુકામાં ક્ષત્રિય સમાજને ભાજપ વિરોધમાં મતદાન કરવા આહવાન કરશે.
લીંબડી ખાતે પણ ધર્મરથ સાથે રેલી યોજાઇ હતી. જેમાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા પણ જોડાયા હતા. અને સ્થાનિક ક્ષત્રિય સમાજ દ્વારા પદ્મિનીબાનું સન્માન કરવામાં આવ્યું હતુ. થોડા દિવસો અગાઉ પદ્મિનિબાએ અન્નજળનો ત્યાગ કર્યા બાદ તેમની તબીયત લથડતા તે આંદોલનથી દુર હતા. ત્યારે આજે લીંબડી ખાતેથી પદ્મિનીબા સહીતના ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો પણ ધર્મરથ સાથે જોડાયા હતા.
ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે અને 23 લાખ ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાની ટીકીટ રદ કરવા માંગ કરી હતી. પરંતુ ભાજપની શું મજબુરી છે તો એ માત્ર રૂપાલાની ટીકીટ રદ ન કરતા ભાજપને ક્ષત્રિય સમાજના મતની જરૂર ન હોય તેવું લાગી રહ્યું છે.
ક્ષત્રિય સમાજને પણ હવે ભાજપની જરૂર નથી. અને હવે સમગ્ર રાજ્યની તમામ 26 સીટો પર ભાજપનો ખુલ્લો વિરોધ કરવામાં આવશે. અને ભાજપના ઉમેદવારોના વિરોધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજને આહવાન કરવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy