રાજકોટ: વિદેશમાં વસતા ભારતમાં દેશમાં યોજાનારી ચુંટણીમાં મતદાન કરવા આતુર હોય છે તે વચ્ચે એક બિનનિવાસી ભારતીય દ્વારા 3 લાખ ખર્ચીને મત આપવા સ્વદેશ આવ્યા હોવાનું જણાવીને તમો પોતે આ પવિત્ર ફરજ ચુકવવા માંગતા નથી તેવું ઉમેર્યુ હતું.
મોરબીમાં 22 વર્ષથી અમેરિકામાં સ્થાયી એનઆરઆઈ પ્રશાંચ ચંદારાણા લોકશાહીના પર્વને ઉજવવા પોતાના વતન પહોંચ્યા હતા. અમેરિકામાં રહેતા મોરબીના એનઆરઆઈએ 3 લાખ રૂપિયાનો ખર્ચ કરીને મતદાન કરવા માટે મોરબી પહોંચ્યા હતા. મોરબીની વી.સી.હાઈસ્કુલમાં મતદાન કરીને તેમણે ભારતીયોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.
વડોદરામાં પણ હાર્ટ એટેક બાદ દર્દી એમ્બ્યુલન્સમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. 2 મે ના હાર્ટએટેક આવતા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમિયાન તેમણે 7 મે એ મત આપવાની ઈચ્છા દર્શાવી હતી. આથી હોસ્પિટલ સ્ટાફે પણ તેમની મદદ કરી હતી અને તેઓ એમ્બ્યુલન્સમાં વ્હીલચેર પર બેસીને મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy