રાજકોટ, તા.18
રાજકોટ ડિસ્ટ્રીકટ જજની બદલી થઈ ત્યારે વકીલોમાં ખુશીની લહેર, મોઢા મીઠા કરાવી ઉજવણી કરાઈ એ પ્રકારના મેસેજ વાઇરલ કરાયા હોય, જેથી રાજકોટ બાર એસો. દ્વારા બે વકીલો દિલીપ પટેલ અને યોગેશ ઉદાણી સામે ઠપકા ઠરાવ કરાયો છે, દિલીપભાઈ પટેલને નોટિસ ફટકારવામાં આવી છે.
દિલીપ પટેલને સંબોધી પાઠવેલ શો - કોઝ નોટિસમાં બારના સેક્રેટરી પી.સી. વ્યાસે જણાવ્યું છે કે, રાજકોટના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ શ્રી આર.ટી.વચ્છાણીની બદલી સુરત મુકામે પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ તરીકે થયેલી. અને તે સમયે દિલીપભાઈ પટેલે તેના વોટ્સએપ દ્વારા વકીલોના જુદા જુદા ગ્રુપમાં 'રાજકોટ ડીસ્ટ્રીકટ જજની બદલી સુરતના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ તરીકે થતા રાજકોટ વકીલ મંડળમાં ખુશીની લહેર' આવા મેસેજ વાયરલ કરાવેલ હતા.
આ સંદર્ભે તારીખ-૧૬/૩/૨૦૨૪ ના રોજ રાજકોટ બારના પમુખ તથા ઉપપમુખ ની સહી સાથે એક સરકયુલર ઠરાવથી આ કૃત્ય ને સખ્ત શબ્દોમાં વખોડવામાં આવેલ અને આ ગરીમાહીન અને નિંદાત્મક કૃત્યને રાજકોટ બાર દ્વારા અન્ય ૧૧ સભ્યોની સહી સાથે આ કૃત્યને વખોડતો સરકયુલર ઠરાવ પાસ કરવામાં આવેલ હતો. ત્યારબાદ તા.૨૬/૩/૨૦૨૪ની રાજકોટ બારની કારોબારી સમિતિની મિટિંગમાં ઠરાવ કરી કૃત્યને વખોડવામાં આવેલ છે. ઠરાવ નંબર-૪ કુલ હાજર ૧૩ પૈકી ૧૦ સભ્યોની સહમતિથી આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી ઠપકાનો ઠરાવ પસાર કરવામ આવેલ.
દિલીપ પટેલને સંબોધી જણાવાયું છે કે, આપના આ કૃત્યને ધ્યાને લઈ આપની સામે બાર એસો.એ આપનું સભ્યપદ રદ કરવા સબંધી શા માટે કાર્યવાહી હાથ ધરવી નહી તે સંદર્ભનો સ્પષ્ટતાપૂર્વકનો આપનો ખુલાસો 7દિવસમાં કરશો, જો આપના તરફથી નિયત સમય મર્યાદામા કોઈ ખુલાસો રાજકોટ બાર એશો. ને આપવામાં આવશે નહીં તો તમો કોઈ ખુલાસો કરવા માંગતા નથી તેમ સમજી રાજકોટ બાર એસો. આગળની કાર્યવાહી હાથ ધરશે. તેમ શો કોઝ નોટિસમાં જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy