આંબેડકરનગરમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો ’તો: ગુનો નોંધાયો

Local | Rajkot | 04 May, 2024 | 04:39 PM
બે ’દિ પહેલાં કાજલબેને પતિ સહિતના સાસરિયા ત્રાસ આપે છે તેવો ભાઈને ફોન કરી ગળાફાંસો ખાઈ લીધો ’તો: જામકંડોરણા રહેતાં મૃતકના ભાઈએ બહેનના પતિ, સાસુ-સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી: માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.04

આંબેડકરનગરમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો હોવાનું ખુલતાં તેના જામકંડોરણા રહેતાં ભાઈએ બહેનના પતિ, સાસુ-સસરા અને નણંદ સામે ફરિયાદ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

બનાવ અંગે જામકંડોરણામાં આંબેડકરવાસમાં રહેતાં મનહરભાઈ બીજલદાસ પરમાર (ઉ.વ.29) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેમની મૃતક બહેનના પતિ હિતેષ રાઠોડ, સાસુ મંજુ રાઠોડ સસરા દેવજી રાઠોડ અને નણંદ ગીતાબેનનું નામ આપતાં માલવીયાનગર પોલીસે આઇપીસી 306, 498 (ક) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મજૂરીકામ કરે છે. તેઓ ચાર ભાઇ-બહેન છે.

સૌથી નાના કાજલબેન (ઉ.વ.25) ના લગ્ન તા.25/07/2020 ના હિતેશ રાઠોડ સાથે થયેલ હતા. લગ્નના આશરે એકાદ વર્ષ બાદ હિતેષની નાની બહેનને તેમના કાકાના દિકરા સાથે પ્રેમસબંધ હોય જેની જાણ કાજલે તેની સાસુ મંજુબેનને કહેલ જેથી બંને વચ્ચે માથાકુટ થયેલ હતી. જે બાબતની જાણ કાજલે તેમની માતાને ફોનથી જાણ કરેલ હતી. ત્યારબાદ તેમની બહેનને તે બાબતે તેમના સાસુ-સસરા મેણાટોણા મારી ઝગડો કરતા હતાં. બાદમાં તેણીની બહેનનો પતિ અને મોટી નણંદ ગીતાબેન તે બાબતે અવારનવાર ઝઘડો કરતાં હતાં.

કાજલ ચાર વર્ષના લગ્નના સમયગાળા દરમ્યાન ચારથી પાંચ વાર રીસામણે આવેલ હતી. જે બાબતે પરિવારને કાજલે તેના સાસુ-સસરા, પતિ  અને તેની નણંદ માનસીક ત્રાસ આપતા હોય જે બાબતે અવારનવાર જણાવેલ હતું. તેમજ તેમની બહેન કાજલ પેટ્રોલપંપમાં બે માસથી નોકરી કરતી હતી અને ગઇ તા.26/04/2024 ના તેણીને બે દિવસની રજા હોય જેથી તે જામકંડોરણા પીયર ઘરે આવવાનું કહેલ બાદ આશરે એકાદ કલાક બાદ  બનેવી હિતેષનો ફોન આવેલ કે, તમારી બહેન રૂમમાં પુરાઈ ગયેલ છે.

જેથી તેમને બહેન સાથે વાત કરાવવાનું કહેતાં વાત કરાવેલ નહી અને બનેવીએ  જણાવેલ કે, તમારી બહેનને જે કાંઈ થઈ જાય જવાબદારી મારી નહી અને તમે અહીં રાજકોટ આવી જાવ, જેથી તેઓ ઘરે આવી પરિવારને વાત કરી હતી. દરમ્યાન નવેક વાગ્યે તેના બનેવી હિતેષનો ફોન આવેલ કે, તમારી બહેન કાજલે ગળાફાંસો ખાઇ લીધેલ છે. જેથી તેઓ પરીવાર સાથે રાજકોટ દોડી આવ્યાં હતાં. ત્યારે તેણીના પતિ કે સાસુ-સસરા વિરુધ્ધ ફરીયાદ કરેલ નહી.  બાદમાં તા.02/05/2024 ના તેમની બહેન કાજલનો સવારના આઠેક વાગ્યે ફોન આવેલ અને જણાવેલ કે, અમારે કાયમીની રામાયણ થાય છે અને મારા પતિ, સાસુ-સસરા અને નણંદ ગીતા મારી સાથે ઝઘડો કરે છે.

જેથી તેઓ જામકંડોરણાથી ગાડિમાં દોડી આવેલ તેમના સાસરિયાના ઘરે જતાં તે રૂમમાં પંખાના સળીયામાં ચુંદડી નાંખીને તેમનો બહેન લટકતી હાલતમાં હતી અને બાદમાં પોલીસે પી.એમ.ની કાર્યવાહી કરેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાં તજવીજ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj