સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં વિશ્વ લેબર દિવસની ઉજવણી કરાઈ

Local | Botad | 02 May, 2024 | 11:36 AM
સાંજ સમાચાર

સાળંગપુર,તા.2
આજે સમગ્ર વિશ્ર્વમાં લેબર ડે એટલે કે,શ્રમિક દિવસની ઉજવણી થઈ રહી છે.દેશના ખૂણે-ખૂણે શ્રમિકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં વડતાલધામ સંચાલિત વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ દાદાના સાનિધ્યમાં શ્રમિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ.પૂ.શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શનથી મંદિર પરિસરમાં સફાઈનું કામ, નિર્માણાધિન ગોપાળાનંદ યાત્રિક ભવનમાં ચણતર અને પ્લાસ્ટર સહિતનું કામ કરતાં 800 શ્રમિકોના કાર્યની હરિપ્રકાશ સ્વામીએ સરાહના કરી પુષ્પવર્ષા કરી હતી. આ પછી હરિપ્રકાશ સ્વામીએ શ્રમિકોને આશીર્વચન આપી દાદાનો પ્રસાદની સાથે દક્ષિણા આપી હતી.મહત્વનું છે કે મંદિર પરિસરમાં સફાઈનું કામ કરતા અને ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં ચણતર પ્લાસ્ટર સહિતનું કડિયા કામ કરતા શ્રમિકો માટે રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj