રાજુલા,તા.26
રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ મેલેરીયા મુક્ત ગુજરાતના ઉદેશને સાકાર કરવા માટે જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રશ્મિકાંત જોષી અને જીલ્લા મેલેરીયા અધિકારી ડો.અરુણ કુમાર સિંઘના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી રાજુલા તળેના ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સ્ટાફ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે,શાળાઓમા આરોગ્ય શિક્ષણ અને જનજાગૃતિ રેલી દ્વારા વધુ સમાન વિશ્વ માટે મેલેરીયા સામેની લડાઈને વધુ વેગ આપીએના થીમ પર 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી. મેલેરિયાના કેસોને ડામવા માટે આરોગ્ય સ્ટાફ દ્વારા જનજાગૃતિ રેલી તેમજ ઘરે ઘરે સર્વે કરી મચ્છરના ઉત્પતિ સ્થાનો નાશ કરવા માટેની કવાયત તાલુકાના સુપરવાઈઝર એન.કે.જોગદીયા,ભનુભાઈ લાડુમોર,મલયભાઈ પંડયા,પી.ડી.ચૌહાણ અને નજુભાઈ કોટીલાની દેખરેખ હેઠળ કામગીરી કરાઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy