રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત મહારાષ્ટ્રમાં વસતા વરિયા વંશ પ્રજાપતિ સુરાણી પરિવારના બાવા પીપળિયા મુકામે બિરાજતા સુરાપુરા જીણાબાપાનો આગામી ચૈત્રવદ-4 ને રવિવારના રોજ યાજ્ઞ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારના કુળદેવી ગોંડલ તાલુકાના કેસવાળા મુકામે બિરાજમાન છે. જ્યારે સુરાપુરા જીણાબાપા જેતલસર અને બાવા પીપળિયા મુકામે બિરાજમાન છે. તાજેતરમાં સમસ્ત સુરાણી પરિવારના સહયોગથી બાવા પીપળિયા મુકામે લીધેલી જગ્યા પર સુરાપુરા બાપાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરાણી પરિવારના સુરાપુરા બાપાનો યજ્ઞ કરવાનું આયોજન ચૈત્રવદ 4 ને રવિવાર તારીખ 28/ 4 /2024ના રોજ કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં 21 યજમાની કરશે. યુગલો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy