તળાજા પંથકમાં યમદૂતના ડેરાતંબુ: અકસ્માતમાં પત્નિ બાદ પતિનું મોત

Local | Bhavnagar | 16 April, 2024 | 12:47 PM
શેળાવદરના યુવાનનું વીજશોર્ટ લાગતા મોત
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) 
ભાવનગર,તા.16
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમા કાળચક્ર ફરી રહ્યું હોય અને તેની સાથે યમદૂતોએ પણ ડેરા નાખ્યા હોય તેમ ચોવીસ કલાકમા પત્નીબાદ પતિએ પણ પકડી અનંતની વાટ, યુવકે ને ઇલેક્ટ્રિક કરંટ ભરખી ગયો તો અઢાર વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ ઝીંદગી ટૂંકાવી.તો નાના અકસ્માત પણ થયા અને મારામારી ના છ બનાવોના પગલે સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટેલા જોવા મળ્યા હતા.

 જેમાં સાંખડાસર-1 ના વૃદ્ધ દંપતિ ને ભગુડા જતા અકસ્માત નડ્યો હતો.જેમાં પત્ની સવિતાબેન ના સ્થળપરજ મોત બાદ રાત્રીના આશરે 11 વાગે પતિ મોહનભાઇ સડથાભાઈ લાડુમોરએ અનંતની વાટ પકડી હતી.

ગઈકાલ સાંજના અરસામા શેળાવદર ખાતે રહેતા જાદવ મોહિત નાગજીભાઇ ઉ.વ.19 ને ઇલેક્ટ્રિક શોટ લાગતા તળાજા ખાતે પી.એમ અર્થે લાવવામાં આવેલ.જ્યારે દેવળિયા ગામના રત્ન કલાકાર અજય પાંચાભાઈ મકવાણા(મોલડીયા)એ રાત્રીના અંધકાર ને લઈ ઘર નજીક ખુલ્લી જગ્યામા ગળેફાંસો ખાઈ લીધો હતો.

ચોવીસ કલાકમા છ મારામારી ના બનાવો બનેલ.જેને લઈ સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા જોવા મળ્યા હતા.ઉલ્લેખનીય છેકે અહીં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નવ નિયુક્ત પોલીસ અધિકારીઓ એ તાસીર સમજવી જરૂરી હોય તેમ અનુભવી લોકોનું મંતવ્ય જાણવા મળી રહ્યું છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj