(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. 12
શ્રીનાથજી હવેલી જસદણ ખાતે શ્રી યમુના મહારાણીજીનો પ્રાગટ્ય મહોત્સવ વલ્લભ કુળના બાવાશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્યતાથી ઉજવવામાં આવશે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજી હવેલીના પ્રમુખ કિરીટભાઈ સી. પટેલ, ઉપપ્રમુખ કમલેશભાઈ એન. ચોલેરા, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ એમ. બાબરીયા, ટ્રસ્ટી ભરતભાઈ કે. જનાણી, ટ્રસ્ટી ભરતભાઈ કે. ધારૈયા, ટ્રસ્ટી બટુકભાઈ એમ. તન્ના, ટ્રસ્ટી હસુભાઈ કે. ગાંધી, ટ્રસ્ટી અશોકભાઈ કે. મહેતા, મંત્રી ધર્મેશભાઈ એન. કલ્યાણી, સહમંત્રી નિલેશભાઈ એન. રાઠોડ, સહમંત્રી સાગરભાઇ એમ. દોશી, ખજાનચી ચંદુભાઈ સી. વડોદરીયા સહિતના હોદ્દેદારોની યાદીમાં જણાવ્યા મુજબ તા. 14-4 ને રવિવારનાં રોજ શ્રીનાથજી હવેલી જસદણ ખાતે સપ્તમ પિઠાધીશ્વર ગો. 108 વ્રજેશકુમારજી મહારાજ, સપ્તમપીઠ યુવરાજ ગો. અનિરુદ્ધ લાલજી મહોદય તથા ગોસ્વામી શ્રી રસરાજકુમાર મહોદયની ઉપસ્થિતિમાં હવેલી ટ્રસ્ટમાં ચાલતા શ્રી હીરાબેન ચંદુલાલ પટેલ યમુનાજી પ્રાગટ્ય મહોત્સવ ફંડના ઉપક્રમે શ્રી યમુના મહારાણીજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવશે.
સવારે 10-30 કલાકે હવેલી ખાતે વલ્લભ કુળના મહારાજશ્રીનું આગમન અને ભવ્ય સ્વાગત થયા બાદ 11 કલાકે પૂજ્ય મહારાજશ્રીના વચનામૃત યોજાશે. 12 કલાકે નંદ મહોત્સવ, રાજભોગ દર્શન, આરતી પૂજ્ય મહારાજશ્રીના હસ્તે યોજાશે. 12-30 કલાકે વૈષ્ણવો મહારાજશ્રી ચરણસ્પર્શ કરશે. ત્યાર બાદ 1 કલાકે હવેલીના નોંધાયેલા આમંત્રિત સભ્યો માટે મહાપ્રસાદ યોજાશે. સાંજે 5 કલાકે હવેલીમાં ચાલતા યમુના મહિલા મંડળના બહેનો દ્વારા યમુનાષ્ટકના પાઠ તેમજ સત્સંગ યોજાશે.
હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સપ્તમ પિઠાધીશ્વર ગો. 108 શ્રી વ્રજેશકુમારજી મહારાજ, સપ્તમ પીઠ યુવરાજ ગો. શ્રી અનિરુદ્ધ લાલજી મહોદય તથા ગોસ્વામી શ્રી રસરાજકુમાર મહોદય જસદણમાં સૌ પ્રથમ વખત આવતા હોવાથી વૈષ્ણવોમાં ખૂબ જ ઉત્સાહ ફેલાયેલો છે. આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ માટે વૈષ્ણવો દ્વારા તૈયારી ચાલી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy