તું કામ વાળી છો, તને ઘરમાં રાખવી નથી, કહીં પરિણીતા પર ત્રાસ

Local | Rajkot | 04 May, 2024 | 11:46 AM
ઢાંક ગામમાં માવતરે રહેતી પરિણીતાએ પતિ, સાસુ- સસરા અને નણંદ સામે ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવી ફરીયાદ
સાંજ સમાચાર

રાજકોટ, તા.4
તું કામ વાળી છો, તને ઘરમાં રાખવી નથી કહી પરિણીતા પર શારીરીક માનસીક ત્રાસ આપનાર પતિ, સાસુ- સસરા અને નણંદ સામે સ્મીતાબેન ગોસ્વામીએ ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત મુજબ ફરીયાદી સ્મીતાબેન ગૌરવભારથી ગોસ્વામી (ઉ.વ.33  રહે.એ-201, રેસકોર્સ રીંગ રોડ, કનકાઇ હોલની બાજુમાં, રાજકોટ) નામની મહિલાએ ફરીયાદમાં જણાવ્યું કે, મેં એમ.એ.બી. એડ સુધી અભ્યાસ કરેલ છે.

હાલ હું મારા માવતરે અહી ઢાંક ગામે રીસામણે છું. મારા લગ્ન તા.15/07/2021ના રોજ રાજકોટના ગૌરવભારથી વિજયભારથી ગોસ્વામી સાથે થયાં હતાં. લગ્ન બાદ 15 દિવસ સુધી મને સારી રીતે રાખેલ બાદ ઘરકામ બાબતે તેમજ અન્ય નાની નાની બાબતે અવાર નવાર મારા પતિ તથા સસરા વિજયભારથી દોલતભારથી તથા સાસુ હર્ષાબેન, અવાર નવાર મેણા ટોણા મારતાં અને મારા પતિ મારકુટ કરતા હતાં. એક વર્ષ બાદ મારા પતિ કોઇ સ્ત્રી સાથે લાંબો સમય વાત કરતા હતા. મેં પૂંછતા કાંઇ જવાબ આપેલ નહી. માવતરને આ વાત કરતા મારા ભાઈ કિશનગીરીએ આવી સમાધાન કરાવેલ હતું.

મારા નંણદ શિવાંગીબેન ધર્મેશભાઈ ચૌહાણ (રહે.વડોદરા) અવાર નવાર માવતરે આવતાં ત્યારે કોઇ પણ જાતના કારણ વગર મારી સાથે ઝઘડો કરતાં અને મારા પતિ સાસુ સસરાને મારા વિરૂધ્ધ ચડામણી કરતાં. મારા પતિ મને મારકુટ કરતાં અને તું કામ વાળી છો તને ઘરમાં રાખવી નથી તેવા મેણા ટોણા મારતાં હતા. અંતે કંટાળી ગત તા.5/12/2022 ના રોજ હું મારા પિતાના ઘરે ભુપતગીરી ગૌસ્વામી (રહે.ઢાંક, બસ સ્ટેન્ડ પાસે. ગણેશ મંદિર, ઉપલેટા) માવતરે આવી ગયેલ. બાદ પણ સમાધાન ન થતાં અંતે પરિણિતાએ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે શારીરિક માનસિક ત્રાસ અંગેની ફરીયાદ ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj