રાજકોટ, તા.19
અપશબ્દ બોલવાની ના કહેતાં નાની અને ભાણેજ પર યુવકે હુમલો કરી ઈજા પહોંચાડી નાસી ગયો હતો. વૃદ્ધાની ફરિયાદ પરથી શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બનાવની વિગત અનુસાર, ગવરીબેન કાનજીભાઇ રાઠોડ (ઉ.વ. 65 રહે. વેરાવળ, બુધ્ધનગર, મફતિયાપરા)એ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગતરોજ સાંજના હું તથા મારી ભાણી વૈશાલી મારા ઘરની બહાર ફળીયા બેઠા હતા. ત્યારે અમારા ઓળખીતા કિશોરભાઈ રામજીભાઈ રાઠોડ (રહે. પારડી) મારા ઘરની પાડોશમાં મોટર સાયકલ લઈને આવેલ અને ત્યાં ઉભો ઉભો અપશબ્દો બોલતો હોય જેથી મેં અપશબ્દો બોલવાની ના કહેતાં કિશોરભાઇ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને મને તથા મારી ભાણી વૈશાલીને જેમફાવે તેમ અપશબ્દો દઇ મારી સાથે ઝપાઝપી કરી.
મને મોઢા ઉપર એક ફડાકો મારતા હું નીચે 5ડી ગયેલ અને મને નાકમાંથી લોહી નિકળવા લાગેલ. વૈશાલી મને છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર મારેલ અને ડાબા હાથમાં બટકુ ભરી લીધેલ. અમે રાડા રાડી કરતા અહીંથી આજુબાજુમાંથી માણાસો ભેગા થઈ જતા આરોપી અહીંથી જતો રહેલ અને જતા જતા કહેલ કે તમે બન્ને બચી ગયેલ છો. હું રાતે પાછો આવી બન્નેને પતાવી દઇશ. તેમ ધમકી આપી જતો રહેલ. જે અંગે શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy