રાજકોટ, તા.25
શહેરનાં નાગેશ્વર વિસ્તારમાં શ્યામલ એપાર્ટમેન્ટનો યુવક રાત્રે સુતા બાદ ઉઠ્યો જ નહિ. યુવકને કેન્સરની સારવાર શરૂ હતી. યુવકનું બેભાન હાલતમાં મોત નિપજતાં તેઓના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
મળતી વિગતો મુજબ લખન હરેશભાઈ પરમાર (ઉ.વ.30 રહે- શ્યામલ એપાર્ટમેન્ટ પટેલ ચોક નાગેશ્વર, રાજકોટ) નામનો યુવક રાત્રે સુતા બાદ ઉઠ્યો જ નહી. પરિવારજનોએ જગાડવાનો પ્રયત્ન કર્યો છતાં પણ ન ઉઠતાં આજે સવારે યુવકને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ યુવકનો શ્વાસ થંભી ગયો હતો.
યુવક મજુરી કામ કરતો હતો. તેને ત્રણ વર્ષથી કેન્સર હતું. તેઓ બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતો. એક ના એક દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવતાં મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy