(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.19
મૂળ વાંકાનેર તાલુકાના માટેલ ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે કાળુ ભીમજીભાઇ મકવાણા જાતે લુહાર (38) નામના યુવાને ઢુવા પાસે આવેલ અમૃત સિરામિક કારખાના પાછળથી પસાર થતી રેલ્વે લાઈન ઉપરથી જઈ રહેલ ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી કરીને ધર્મેન્દ્રભાઈને માથામાં અને શરીરને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું.
આ બનાવની મકનસરના રેલ્વે સ્ટેશન માસ્તર સંતોષ બુધ્ધરામ સૈનીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હોય આર્થિક સંકળામણના કારણે ઘરકંકાશ રહેતો હતો જેનાથી કંટાળી જઈને રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી રેલવે ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તે અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy