શાપર, તા.23
શાપર વેરાવળમાંથી સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરનાર આરોપીને ઉત્તરપ્રદેશના અલીગઢમાંથી સગીરા સાથે આરોપીને શાપર વેરાવળ પોલીસે પકડી પાડયો હતો.બનાવની વિગત મુજબ શાપરમાંથી ગત તા.27/03/2024 માં સગીરાનું અપહરણ કરી આરોપી નાસી ગયો હતો. બાદ શાપર વેરાવળ પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
શાપર વેરાવળના પીએસઆઈ આર.કે. ગોહિલ તથા જી. બી. જાડેજા દ્વારા અલગ અલગટીમો બનાવી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ આધારે તપાસ હાથ ધરી હતી. જે અનુસંધાને બાતમી મળી હતી કે આરોપી ઉત્તરપ્રદેશના અલીગઢમાં રહેતો યુવક શાહરૂખખાન આઝાદખાન (ઉ.વ.24, રહે. અલીગઢ, ઉત્તર પ્રદેશ) સગીરાને પોતાનાં વતન લઈ ગયેલ છે.
જે સ્થળે તપાસ કરતા ઉત્તરપ્રદેશના અલીગઢમાંથી સગીરા સાથે આરોપીને દબોચી લીધો હતો. આ કામગીરીમાં એએસઆઈ હરદિપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ લઘધિરસિંહ જાડેજા તથા નીમુબેન મેર રોકાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy