www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રવિવારે આશાપુરી પ્રગતિ ચેરી.ટ્રસ્ટ દ્વારા 14મો સમૂહ લગ્નોત્સવ: નવ યુગલોના પ્રભુતામાં પગલાં


સાંજ સમાચાર

રાજકોટ,તા.28
 

ૐ શ્રી આશાપુરી પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તા.31મીના રવિવારે વિનામૂલ્યે દીકરીઓનો 14મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોકત સમૂહ લગ્નના મુખ્ય આયોજક ભીખારામજી ગોપાલદાસજી કાપડી રાજા છે. નવ દિકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે.

સમૂહ લગ્નોત્સવની વિગતો આપવા ‘સાંજ સમાચાર’ના આંગણે મુખ્ય આયોજક ભીખારામભાઈ કાપડીયાની, જાણીતા, કલાકાર તુલસીદાસ ગોંડલીયા, અલખધણી ટ્રસ્ટના જયેશભાઈ વ્યાસ, રાજુભાઈ ગોંડલીયા, મનીષભાઈ દુધરેજીયા તથા પંકજભાઈ વગેરે આવેલા હતાં.તા.31મીના રવિવારે લાઈટ હાઉસ રૈયા રોડ ખાતે સમૂહલગ્ન યોજાશે સવારે 7 વાગે ગણેશ સ્થાપન, મંડપ મુહુર્ત બાદ સવારે 10.30 કલાકે હસ્તમેળાપ, બપોરે 3.30 વાગે  જાન વિદાય વગેરે પ્રસંગો ઉજવાશે નવ દીકરીઓને 90 થી વધારે આઈટમો કરિયાવરમાં અપાશે.સમૂહ લગ્નોત્સવમાં સંતો-મહંતો અગ્રણીઓ પધારશે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે. સમૂહ લગ્નમાં નાસ્તા તથા ભોજનના લાભાર્થી અલખધણી ટ્રસ્ટના જયેશભાઈ વ્યાસ છે તેમજ અન્ય દાતાઓ તરફથી ક્ધયાઓને કરિયાવર અપાશે લગ્નગીતોમાં કલાકાર કાળુભાઈ તથા ગીતાબેન દાણીધારીયા જમાવટ કરશે સમૂહ લગ્નનું સંચાલન સુપ્રસિદ્ધ લોકમેળા ફેઈમ કલાકાર, પત્રકાર તુલસીદાસ ગોંડલીયા કરશે. 

Print