www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

4300 ધનકુબેરો ચાલુ વર્ષમાં ભારત છોડી દેશે


2023 માં પણ 5100 કરોડપતિઓ પરદેશ સ્થાયી થયા હતા: મોટાભાગનાની પસંદગી યુએઈ

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.20
ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ હેનલે એન્ડ પાર્ટનર્સએ પોતાનાં તાજેતરનાં રિપોર્ટમાં એક ચોંકાવનારો દાવો કર્યો છે. આ રિપોર્ટનાં દાવા પ્રમાણે વર્ષ 2024 માં લગભગ 4300 કરોડપતિઓ ભારત છોડી શકે છે અને બીજા દેશોમાં જઈને વસવાટ કરી શકે છે.

હેનલે એન્ડ પાર્ટનર્સની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત છોડનાર કરોડપતિઓમાંથી મોટાભાગનાં લોકો સંયુકત અરબ અમીરાત (યુએઈ)ને પોતાની પસંદગીનુ રહેવાપાત્ર સ્થાનમાને છે. ગત વર્ષે એટલે કે 2023 માં 5100 કરોડપતિઓ ભારત છોડીને અન્ય દેશોમાં રહેવા ગયા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરતી અર્થવ્યવસ્થા ધરાવતો ભારત દેશ કરોડપતિઓનાં પલાયનના મામલામાં દુનિયાભરમાં ચીન અને બ્રિટન પછી ત્રીજા સ્થાન પર આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ભારત હવે, વસ્તીના મામલામાં દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીનથી આગળ નીકળી ચુકયો છે.

આ રિપોર્ટ પ્રમાણે ભારત પ્રતિ વર્ષ હજારો કરોડપતિઓ ગુમાવી રહ્યું છે. એમાંથી મોટાભાગનાં સંયુકત અરબ અમીરાત જઈને રહી ગયા છે. જોકે રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેટલાં લોકો વિદેશમાં જઈ રહ્યા છે તેનાથી વધુ સંખ્યામાં મૂડીપતિ વર્ગના લોકો ભારતમાં પેદા થઈ રહયા છે. એટલે કે કરોડપતિ બની રહ્યા છે.

આ રિપોર્ટ પ્રમાણે ભલે મોટી સંખ્યામાં ભારતીય કરોડપતિઆ પલાયન કરીને વિદેશમાં જઈને વસવાટ કરી રહ્યા છે.પરંતુ એ પોતાનાં બીજા ઘર તરીકે ભારત છોડી રહ્યા નથી. અને પોતાના બિઝનેસ હિતોને પણ છોડી રહ્યા નથી.

આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2024 માં વિશ્વભરમાં લગભગ 128000 કરોડપતિઓ પલાયન કરે તેવુ અનુમાન છે. આ કરોડપતિઓનાં પસંદગીના દેશોમાં સંયુકત આરબ અમીરાત અને અમેરિકા ટોપ છે.

Print