SANJ SAMACHAR | Date: 28-03-2024 Thursday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
જામનગર તા.28
જોડીયા-ધ્રોલ તાલુકાના 10 ગામોના પરપ5 વીજ ગ્રાહકોએ પોતાની નૈતિક ફરજ સમજીને માર્ચ એન્ડીંગમાં તમામ બાકી બીલની રકમ ભરપાઈ કરી દેતાં વીજ તંત્રએ આ ગામોની પ્રસંશા કરીને બિરદાવ્યા હતાં.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ આવતા જોડીયા પે.વી. કચેરીના જોડીયા તાલુકાના આણદા, જશાપર, બાદનપર, ભાદરા, લીંબુડા, લખતર, વાઘા, રણજીતપર, માનપર તથા ધ્રોલ તાલુકાના મજોઠ ગામ મળીને કુલ 10 ગામ હેઠળ આવતાં પરપપ વીજ ગ્રાહકોએ માર્ચ-2024 દરમ્યાન પીજીવીસીએલના વીજ બીલ પેટે કોઈ રકમ બાકી ન રહે તેવા નિર્ધાર સાથે પોતાની નૈતિક ફરજ સમજીને તમામ વીજ ગ્રાહકોએ વીજ બીલની સંપુર્ણ રકમ ભરપાઈ કરી દીધી છે. આ તકે પીજીવીસીએલ કંપનીએ આ ગામોના સહકાર બદલ તમામ વીજ ગ્રાહકોની પ્રસંશા કરી બિરદાવ્યા હતાં અને અન્ય ગામોના જે વીજ ગ્રાહકો વીજ બીલ. ભરવામાં ઠાગાઠેયા કરે છે. તેઓએ શીખ લેવી જરૂરી છે.