www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

તા.7ના UPSCની પરીક્ષા: રાજકોટમાં 3588 ઉમેદવારો


સાંજ સમાચાર

રાજકોટ, તા.29
યુનિયન પબ્લીક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા આગામી તા.7ને રવિવારે ઇપીએફઓના પર્સનલ આસિ. અને ઇએસઆઇસી માટે નર્સીંગ ઓફિસરની જગ્યા માટે સ્પર્ધાત્મક પરિક્ષા લેવામાં આવનાર છે. રાજકોટ સેન્ટરમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓને ક્લેક્ટર અને અધિક કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. 

રાજકોટ સેન્ટરમાં આ સ્પર્ધાત્મક પરિક્ષામાં 3588 ઉમેદવારો બેસનાર છે. તા.7ના અષાઢી બીજની રથયાત્રાનો પ્રસંગ હોય આ પ્રસંગે રાજકોટમાં રથયાત્રા નીકળનાર હોય, ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજકોટ સેન્ટરમાં 13 જેટલા કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવનાર છે.

જેમાં સદ્ગુરૂ મહિલા હોમ સાયન્સ કોલેજ, આઇપી મીશન ગર્લ્સ હાઇસ્કૂલ, જે.જે. કુંડલીયા કોમર્સ કોલેજ, એચ.બી. જસાણી કોલેજ, વીરબાઇ મહિલા કોલેજ, કણસાગરા મહિલા કોલેજ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, જીટી શેઠ વિદ્યાલય (કાલાવડ રોડ), કલ્યાણ હાઇસ્કૂલ, કે.એ. પાંધી કોલેજ, ક્ધવેન્શનલ બિલ્ડીંગ યુનિટ-1 અને 2, સૌરાષ્ટ્ર યુનિ. એમ 13 કેન્દ્રો પરથી આ સ્પર્ધાત્મક કસોટી લેવામાં આવનાર છે. પરિક્ષાના 30 મીનીટ પહેલા ઉમેદવારો માટે પ્રવેશ બંધ કરાશે માટે સમયસર ઉમેદવારોને કેન્દ્રોમાં પ્રવેશ મેળવી લેવું જરૂરી છે.

આ પરીક્ષાના મોનીટરીંગ માટે ત્રણ પ્રાંત અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ, બ્લુટુથ, પુસ્તકો, ઇલેકટ્રોનીક્ ગેઝેટ સાથે રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પરીક્ષાના સંદર્ભે તા.6 અને 7 દરમ્યાન કલેક્ટર કચેરીની જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાં ક્ધટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. આ પરીક્ષાના પેપરો રાજકોટ આવી પહોંચતા તેને કલેક્ટર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ મારી દેવામાં આવ્યું છે. 

Print