www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પ યોજાયો


સાંજ સમાચાર

જામનગર તા.28

ભારતીય જનસંઘના સંસ્થાપક અને રાષ્ટ્રવાદી તેમજ શિક્ષણવિદ ડો શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે જામનગર જિલ્લા કાર્યાલય ખાતે યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ અવસરે પ્રદેશ અધ્યક્ષ ડો પ્રશાંતભાઈ કોરાટ જી,જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, 76-કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જામનગર જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ ભૂમિતભાઈ ડોબરીયા, પ્રભારી અમિતભાઇ બોરીચા સહીત સંગઠનના હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું અને આ દિવસે જામનગર જીલ્લા મીડિયા સેલના ક્ધવીનરનો પણ જન્મદિવસ દિવસ હોય તેને પણ રક્તદાન કર્યું હતું તેમ જામનગર જીલ્લા ભાજપ મીડિયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Print