![]() |
![]() SANJ SAMACHAR | Date: 28-06-2024 Friday | Rajkot |
|
(કુંજન રાડીયા) જામ ખંભાળિયા, તા.28
દ્વારકા તાબેના ધ્રાસણવેલ ગામના વાડી વિસ્તારમાં રહેતા ભાવનાબેન હીરાભાઈ પાંચાભાઈ પરમાર નામના 25 વર્ષના પરિણીત મહિલાને આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે એક પુત્રનો જન્મ થયો હતો. જન્મ બાદ આ બાળક મૃત્યુ પામ્યું હતું. આ બનાવથી બેચેન રહેતા અને પોતાના પુત્રના સતત વિચારો આવતા ભાવનાબેન હીરાભાઈને ક્યાંય ગમતું ન હતું. આ પરિસ્થિતિમાં તેણીએ ગત તારીખ 18 જૂનના રોજ પોતાના ઘરના રસોડામાં રહેલી જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. આથી તેણીને વધુ સારવાર અર્થે જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાંથી માવતરે પરત આવી ગયા બાદ બુધવાર તારીખ 26 ના રોજ તેણીનું મૃત્યુ હતું. આ બનાવની જાણ મુળુભાઈ હાજાભાઈ વાઘેલા (ઉ.વ. 50, રહે. વરવાળા)એ દ્વારકા પોલીસને કરી છે.