![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
રાજકોટ, તા.1
રાજકોટની કોર્ટે હત્યાના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ આટકોટ દડવા રોડ પર હત્યાનો બનાવ બન્યો હતો. આરોપી પૈકીનો એક આરોપી અક્ષય અમર (રહે.નાગડીયા, તા.કલ્યાણપુર)ને ધરપકડ બાદ જેલહવાલે કરાયો હતો. ગુનામાં ચાર્જશીટ દાખલ થતા આરોપી અક્ષયે વકીલ મારફત રેગ્યુલર જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.
જે અરજીમાં આરોપીના વકીલ દ્વારા ધારદાર દલીલ, રજૂઆત અને વડી અદાલતના ચુકાદાઓ રજુ કર્યા હતાં. સુનાવણીના અંતે તમામ પુરાવાઓ અને દલીલ ને ધ્યાને લઈ સેસન્સ કોર્ટ દ્વારા આરોપી અક્ષયને રેગ્યુલર જામીન પર મુકત કરવા હુકમ કરવામાં આવ્યો હતો. આ કામમાં આરોપી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી મહેશ એલ. સોનારા, સંજય એમ. ડાંગર, વિજય જે. ધમ્મર, પરેશ વી. ગળધરીયા, સાગર એન. મેતા રોકાયેલા હતા.