![]() |
![]() SANJ SAMACHAR | Date: 28-06-2024 Friday | Rajkot |
|
રાજકોટ તા.28
નગરપ્રાથમીક શિક્ષણ સમીતી આયોજીત શાળાઓમાં આજે પ્રવેશોત્સવ- ક્ધયા કેળવણી મહોત્સવનાં પ્રથમ દિને ઘંટેશ્ર્વર પ્રા.શાળા, માધાપર તાલુકા શાળા, મનહરપુર પ્રા.શાળા, મોટામોવા તાલુકા શાળા, રસુલપરા પ્રા.શાળા, શક્તિનગર પ્રા.શાળામાં 2176 બાળકોને પ્રવેશ અપાયો હતો.
આ તકે શિક્ષણ સમીતીના ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવિણ નિમાવત, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, મેયર નયનાબેન પીઢડીયા, કમિશ્ર્નર દેવાંગ દેસાઈ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, કમિશ્ર્નર વિશાલ ગુપ્તા (ગાંધીનગર) પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝા, ડે.કમિશ્ર્નર સ્વપ્નીલ ખેર, પ્રભારી પ્રકાશભાઈ સોની, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, વિવિધ સમીતીના ચેરમેનો, કોર્પોરેટરો, શહેર ભાજપના આગેવાનો, માજી સાંસદ, માજી ધારાસભ્યો વિ.ની ઉપસ્થિતિમાં બાળકોને વિવિધ વસ્તુઓની ભેટ સાથે ક્ધયાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાલે કોઠારીયા, ગુલાબનગર, કે.કે.કોટેચા, તાલુકા શાળા લક્ષ્મીનગર, મુંજકા શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાશે.