![]() |
![]() SANJ SAMACHAR | Date: 23-05-2024 Thursday | Rajkot |
|
(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.23
બાબરા તાલુકા નાં ધરાઇ વાવડી અને મોટા દેવળીયા વચ્ચે કાર પલ્ટી ખાઈ જતા સર્જાયેલ અકસ્માત માં હાલ સુરત રહેતા મુળ ધરાઇ નાં મિકેનિક એન્જિનિયર એવા આશાસ્પદ યુવાન નું મોત નિપજતા ગમગીની ફેલાઈ હતી.બનાવ ની કરુણતા એ હતી કે અકસ્માત માં મોત ને ભેંટેલો યુવાન પરીવાર નો એક નો એક પુત્ર હતો.આવતા મંગળવારે તેની સગાઇ થનાર હતી.અકસ્માત સમયે યુવાન નો પરીવાર ચાર ધામ યાત્રાએ ગયો હોય બનાવ ની જાણ કરાઇ હતી.
આ બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ મુળ ધરાઇ વાવડી નાં અને હાલ સુરત રહેતા કીનલ હિંમતલાલ વીરડીયા (ઉ.23) દેવળીયા રહેતા મિત્ર દિવ્યેશભાઈ ની સગાઇ હોય બાબરા થી કેક લઈ કાર માં દેવળીયા જઇ રહ્યા હતા.કીનલ કાર ચલાવી રહ્યો હતો અને અન્ય મિત્ર વિશ્ર્નેશ પાછળ કેક લઈ બેઠો હતો.
દેવળીયા થી થોડે દુર અચાનક કાર પલ્ટી ખાઈ જતા સર્જાયેલ અકસ્માત માં ગંભીર ઇજાઓ પંહોચતા કીનલ નું મોત નિપજ્યું હતુ.જ્યારે વિશ્વનેશ ને ઇજા પંહોચી હતી.બનાવ ની જાણ થતા સગા સ્નેહીઓ ઘટના સ્થળે દોડી ઉઠ્યા હતા.અને કીનલ નાં મૃતદેહ અને ઇજાગ્રસ્ત વિશ્વનેશ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.બનાવ સમયે કીનલ નાં માતા પિતા સહીત નો તેર વ્યક્તિઓ નો પરીવાર ચાર ધામ યાત્રાએ હોય તેઓને જાણ કરાઇ હતી.
કીનલ ની સગાઇ આવતા મંગળવારે થવાની હતી.પરંતુ ઈશ્વરે કંઈક અલગ જ ધાર્યુ હોય તેમ પરીવાર યાત્રાએ ગયો હોય પાછળ થી અરમાન ભર્યા યુવાન નું અકાળે મોત નિપજ્યું હતું.બનાવ નાં પગલે પરીવાર શોકમગ્ન બન્યો હતો.