www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેદારનાથ મંદિર પાસે હિમસ્ખલન


સાંજ સમાચાર

કેદારનાથ મંદિરથી લગભગ ત્રણ કી.મી. દૂર આવેલી ચૌરાબાડી નદી પર રવિવારે હિમસ્ખલન થયું હતું. જો કે કોઈ નુકસાનના સમાચાર નથી, પણ સોશ્યલ મીડીયામાં વિડીયો વાઈરલ થઈ રહ્યો છે.

રૂદ્રપ્રયાગના જિલ્લા અધિકારી નંદનસિંહ રજવારે જણાવ્યું હતું કે, કેદારનાથથી ઉપર જતા યાત્રાળુઓને વધુ સતર્ક કરવામાં આવ્યા છે. ચૌરાબાડી તરફ ન જવા સલાહ આપવામાં આવી છે. હિમાલયના ઉપરના ભાગોમાં હિમસ્ખલન થતું જ રહે છે.

 

Print