www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અયોધ્યા જળબંબાકાર


સાંજ સમાચાર

ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામમંદિરની છતમાંથી પાણી ટપકવાના તથા નવા બનાવાયેલા રામપથ સહિતના મુખ્ય માર્ગોમાં ગાબડા પડવાથી સર્જાયેલા ઉહાપોહ વચ્ચે હવે ભારે વરસાદમાં શહેર જળબંબાકાર બની જતા વ્યાપક કચવાટ સર્જાયો છે. 

રામનગરી અયોધ્યામાં ભારે વરસાદથી તમામ માર્ગો પર પાણી ભરાયા હતા. સાધુસંતો-ભાવિકો સહિતના લોકોને ગોઠણડૂબ પાણીમાંથી પસાર થવુ પડયુ હતું. જો કે, વરસાદને કારણે ભીષણ ગરમી-હીટવેવની સ્થિતિમાંથી રાહત મળી હતી.

Print