![]() |
![]() SANJ SAMACHAR | Date: 02-07-2024 Tuesday | Rajkot |
|
નવી દિલ્હી, તા.2
ગઇકાલે રાહુલ ગાંધીએ સત્તા પક્ષ તરફ ઇશારો કરીને કહ્યું હતું કે જે લોકો ખુદને હિન્દુ કહે છે તે હિંસાની વાત કરે છે. જેની સામે ભાજપ અને તેના સહયોગીઓએ વાંધો ઉઠાવ્યો હતો. હવે આ મુદે ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના હિન્દુવાળા નિવેદન પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે નિયમ 11પ અંતર્ગત લોકસભા સ્પીકર ઓમ બિરલાને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બાંસુરી સ્વરાજે વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષ નેતા દ્વારા આપવામાં આવેલ નિવેદન તથ્યાત્મક રીતે ખોટું અને ભ્રામક છે. રાહુલ ગાંધી દ્વારા જાણી જોઇને કરવામાં આવેલી ભૂલોને ધ્યાનમાં લઇ કાર્યવાહી કરવામાં આવે.