www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના ભરતનગર રવાપર નદી ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો


સાંજ સમાચાર

મોરબી જિલ્લાના ભરતનગર અને રવાપર નદી ગામે અધિક સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (IAS) એચ. કે.વઢવાણિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને ગામની પ્રાથમિક શાળાઓમાં નાના નાના ભૂલકાઓને પ્રવેશ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાના ભૂલકાઓના ઉજ્જવળ ભાવિનો ઉત્સવ બન્યો છે. ત્યારે ભરતનગરમાં કુલ 50 બાળકોને પ્રવેશ આપ્યો હતો અને રવાપર નદીની શાળામાં 42 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)

Print