![]() |
![]() SANJ SAMACHAR | Date: 24-06-2024 Monday | Rajkot |
|
રાજકોટ, તા.24
તાજેતરમાં ભાવનગર મોઢ વણિક જ્ઞાતી અગ્રણી, કરવેરા સલાહકાર તરીકે આગવું નામ ધરાવતા ભરતભાઈ શેઠની ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેકસ પ્રેકટીશનર્સની ડાયરેકટ ટેકસ કમિટીમાં વરણી સાથે નિમણુંક કરવામાં આવી હતી.
આ વરણીથી રાજકોટ-ભાવનગર-ગુજરાતના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, એડવોકેટ, ચાર્ટર એકાઉન્ટન્સને ડાયરેકટ ટેકસને લગતા મુદ્દાઓની રાષ્ટ્રીય લેવલ પર યોગ્ય રીતે રજુઆત કરવાની તક મળશે. આ અગાઉ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ ક્ધસલ્ટન્ટસના પ્રમુખ તરીકે ખુબ જ સારી યશસ્વી કામગીરી કરેલ છે. ભરતભાઈ શેઠની નિમણૂકથી રાજકોટ ભાવનગર સહિત ગુજરાતભરનો મોઢ વણિક જ્ઞાતી બધ્ધ આનંદની લાગણી અનુભવી અભિનંદન પાઠવે છે.