www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડિયાનો જન્મદિવસ


સાંજ સમાચાર

રાજકોટ,તા.28
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ અને અનેક સામાજિક - સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા પત્રકાર જગત નાં દિગ્ગજ એવા જિજ્ઞેશભાઈ કાલાવડિયા નો આજે જન્મદિવસ છે. આજે તેઓ યશસ્વી જીવન નાં 47 વર્ષ પૂર્ણ કરનાર જિજ્ઞેશ કાલાવડિયા એ તેમનાં સંઘર્ષ મય જીવનમાં અનેક ક્ષેત્રે ખેડાણ કરી ને લાખો યુવાનો માટે પથ દર્શક ની ભૂમિકા નિભાવી છે.

પત્રકાર સુરક્ષા કાનૂન ની માંગ સાથે દેશભર માં તેઓ પત્રકારો ની આર્થિક - સામાજિક અને શારીરિક સુરક્ષા હેતુ અભિયાન ચલાવી રહ્યા છે જે અંતર્ગત છત્તીસગઢ સરકારે પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરેલ છે અને બીજા અનેક રાજ્યોમાં તે વિચારાધીન છે. પત્રકાર જગતમાં ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમમાં નોંધપાત્ર કામગીરી કરેલી છે.

લોક સમર્થન દૈનિક નાં માધ્યમ થી સૌરાષ્ટ્ર નાં અનેક કૌભાંડો તેઓએ ઊજાગર કર્યા છે. શહીદ ભગતસિંહ ની વિચારધારા ને વરેલા હોય તેઓ "ભગતસિંહ ક્રાંતિ દળ" અને "ગુજરાત યુવા પરિષદ" માધ્યમથી સતત યુવાનોમાં રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી વિચારધારા નાં પ્રચાર પ્રસાર નું કામ કરી રહ્યા છે. તેમનાં જન્મદિન પર આજે દેશ - વિદેશ માં ફેલાયેલા તેમનાં વિશાળ મિત્ર વર્તુળ અને શુભેચ્છકો તરફથી તેઓને તેમનાં મોબાઈલ નં.9825020064 પર શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે.

Print