www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સ્વ.વિમલભાઈ પરમારના 32માં જન્મદિન નિમિતે કાલે રકતદાન કેમ્પનું આયોજન


સાંજ સમાચાર

રાજકોટ તા.28
 રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી, સ્વ.વિમલભાઈ રમેશભાઈ પરમારના 32માં જન્મદિવસ નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી આવતીકાલે શનિવાર સવારે 8થી 2 વાગ્યા સુધી, પંડીત દિનદયાળ કોમ્યુનિટી હોલ, યુનીટ-2, સેટેલાઈટ ચોક, બી ડીવીઝન પોલીસ સ્ટેશન સામે, પેડક રોડ, રાજકોટ ખાતે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં.6, અખીલ ભારતીય કોળી સમાજ, સ્વ. વિમલભાઈના જીગરજાન મિત્રો, પરમાર પરીવાર, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, સિવિલ બ્લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે.

 આ આયોજન અંતર્ગત મહેશભાઈ રાજપરા, વિજયભાઈ પ્રજાપતી, જીગ્નેશ મેયડ, ઋષીકભાઈ પરમાર, રૂચીતભાઈ સોની, કિશન ખીટ, પ્રકાશભાઈ ભટાડીયા, વિજય ભટાડીયા, અંકીત મકવાણા, રવીભાઈએ ‘સાંજ સમાચાર’ની મુલાકાત લીધી હતી.

Print