![]() |
![]() SANJ SAMACHAR | Date: 24-05-2024 Friday | Rajkot |
|
કોડીનાર,તા.24
ભગવાન બુદ્ધ એટલે સાંસારિક જીવને શાંતિ તેમજ અહિંસાનો માર્ગ આપનાર સાથે સાથે ભગવાન બુદ્ધે સ્ત્રી-પુરુષ,અમીર- ગરીબ, ઊંચ - નીચ ભેદભાવ વિહીન સમાજ નિર્માણની પહેલ કરનાર.વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુદ્ધપૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સામાજિક સમરસતા મંચ કોડીનાર દ્વારા છારા ઝાંપા વિસ્તારમાં આવેલ ભગવાન બુદ્ધની પ્રતિમા તેમજ પરિસરની સાફ-સફાઈ તેમજ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. જે અંતર્ગત જૂનાગઢ વિભાગ ધર્મ જાગરણ સંયોજક વિજયભાઈ ખખ્ખર દ્વારા ભગવાન બુદ્ધના જીવન તેમજ જીવનના સિદ્ધાંતો વિશે વાત કરવામાં આવી હતી