www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધોરીવાવ નજીક કાર-રિક્ષા અથડાઇ


સાંજ સમાચાર

જામનગરનાં રણજીતસાગર રોડ પર અવારનવાર અકસ્માત સર્જાઈ છે. તેવામાં ગઈકાલે ધોરીવાવ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોરેસ્ટ રિસોર્ટમાંથી એક ફોરવહિલર કાર જામનગર તરફ આવતા હતી ત્યાં એકાએક સામેથી ઓટો રીક્ષા આવતા કાર અને રીક્ષા અથડાઈ હતી. જેને પગલે ગંભીર અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા ચાલક સહિત અંદાજે ચારથી પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચેલી છે. જેમાં ત્રણ લોકોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. અન્ય એક વ્યક્તિને ઓસવાળ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે..વધુમાં સમગ્ર ઘટનાને જીજી હોસ્પિટલ ખાતે સીટી બી પીઆઈ જા દોડી આવ્યા હતા. બીજી બાજુ અકસ્માતને પગલે આક્રોશમાં આવી ગયેલા ટોળાએ કારમાં આગ ચાપી દીધી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

Print