SANJ SAMACHAR | Date: 27-06-2024 Thursday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
રાજકોટ, તા.27
અત્રે અકસ્માતમાં અવસાન પામનારના વારસદારોને ક્લેઇમ ટ્રિબ્યુનલે રૂા.84.88 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.
ચલાલા પોલીસ સ્ટેશન અમરેલીની હદમાં બનાવ બનતા સ્વ. સાગરભાઇ દામજીભાઇ બાલધા (ઉ.વ. 27)ના પોતાના હવાલાવાળું બાઇક રોડની એક સાઇડમાં ચલાવીને જતા હતા ત્યારે કારના ચાલકે હડફેટે લઇ મૃત્યુ નિપજાવેલ તેના બનાવમાં રાજકોટ ટ્રિબ્યુનલ તરફથી જંગી વળતર મંજુર કરવામાં આવેલ જે તમામ રકમ સામાવાળી કારની વીમા કંપની તરફથી અરજદારોને ચુકવી આપેલ છે. આ વળતરના ક્લેઇમ કેસમાં અરજદારો વતી રાજકોટના સીનીયર વકીલ એમ.એ. સુરૈયા, મહેશભાઇ સિંધવ, આસી. તરીકે સાંકેતભાઇ મોરડીયા રોકાયેલા હતા.