SANJ SAMACHAR | Date: 02-07-2024 Tuesday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવો-ભારે વરસાદનો દોર જારી રહ્યો છે. અમુક ભાગોમાં તોફાની પવન સાથે મેઘતાંડવ જેવી સ્થિતિ હોવાથી વિજમાળખાને પણ અમુક અંશે નુકશાન છે. વિજતંત્રના સૂત્રોએ કહ્યું કે રાજકોટ શહેરમાં બે તથા ગ્રામ્યમાં 28 થાંભલા ડેમેજ થયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 243 થાંભલા ડેમેજ છે.
પોરબંદર, જુનાગઢ, જામનગરમાં નુકશાન વધુ છે. આ જીલ્લાઓમાં ગામડાઓમાં વિજ પુરવઠો કોરવાયો છે. 88 ગામોમાં અંધારપટ હતો. આ સિવાય 364 ફીડર ફોલ્ટમાં ગયા હતા. તેમાં સૌથી વધુ જુનાગઢમાં 73, અમરેલીમાં 65 તથા જામનગરમાં 57 હતા. 15 જેટલા ટ્રાન્સફોર્મર પણ ડેમેજ થયા હતાં.