![]() |
![]() SANJ SAMACHAR | Date: 29-06-2024 Saturday | Rajkot |
|
રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે આજના શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી દાદાને ખારેકનો દિવ્ય શણગાર કરાયો છે, આ અદ્દભુત શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે , જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા છે .આ સાથે આજે મારુતિયજ્ઞ પણ યોજાયો હતો જેનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો , આજે સાંજે ધ્વજારોહણનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાંજે 7.15 કલાકે રાજોપચાર પદ્ધતિથી થતી દાદાની સંધ્યા આરતીમાં હજારો ભક્તો દાદાના દર્શન અને આરતીનો દિવ્ય લાભ લેશે આપ પણ પરિવાર સાથે દાદાના દર્શન કરી ધન્યતાની અનુભતી કરો તેમ શ્રી બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે.