www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગર કલેકટર કચેરીમાં ખેડૂતનો આપઘાતનો પ્રયાસ


જમીનના વિવાદમાં ન્યાય માટે ઝઝુમતા આધેડે ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.29 ભાવનગરના રાળગોન ગામમાં રહેતા ખેડૂતે ભાવનગરની કલેકટર કચેરી ખાતે ઝેરી દવા ગટગટાવી લેતા વહીવટી તંત્ર દોડતું થયું હતું.ઝેરી દવા પી લેનાર આધેડને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી વિગત મુજબ તળાજા તાલુકાના રાળગોન ગામમાં રહેતા ખેડૂત આધેડ બાબુભાઈ કાળાભાઈ વળિયા એ આજે ભાવનગરની કલેકટર કચેરી ખાતે ઝેરી દવા પી લેતા ખળભળાટ મચી જવા પામેલ હતી. કલેકટર કચેરીમાં ઝેરના પારખા કરનાર બાબુભાઈને ગંભીર હાલતમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.જમીનના વિવાદમાં ન્યાય માટે ઝઝૂમતા ખેડૂત આધેડે આખરે ઝેરના પરખા કર્યા હોવાનું તેમના સંબંધીઓએ જણાવ્યું હતું.

Print