SANJ SAMACHAR | Date: 29-06-2024 Saturday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
જાલના, તા.29
મુંબઇ-નાગપુર એક્સપ્રેસ-વે (સમૃધ્ધિ એક્સપ્રેસ-વે) પર બે કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાતા સાત લોકોના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતાં.
પોલીસના સૂત્રોએ કહ્યું કે નાગપુરથી મુંબઇ જઇ રહેલી કાર સામેથી આવતી કાર સાથે ટકરાઇ હતી. છ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય એકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
બેમાંથી એક કાર રોંગસાઇડમાં હોવાથી સામસામી ટક્કર થઇ હતી. મધરાત્રે સર્જાયેલા આ અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો આ અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ધસી ગયો હતો.
એક્સપ્રેસ-વે પર સર્જાયેલો ટ્રાફીકજામ ક્લીયર કરાવ્યો હતો. ઉપરાંત ઇજાગ્રસ્તોને હોસ્પીટલે ખસેડયા હતા. ભોગ બનેલા લોકો મુંબઇના મલાડ તથા બુલધાના જીલ્લામાં હોવાનું બહાર આવ્યું છે.