![]() |
![]() SANJ SAMACHAR | Date: 02-07-2024 Tuesday | Rajkot |
|
બેંગ્લોર: ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટસમેન દિનેશ કાર્તિકને સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટિંગ કોચ અને મેન્ટોર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાર્તિકે ગયા મહિને ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
ટીમે એકસ પર લખ્યુ, દિનેશ કાર્તિકનું આરસીબીમાં સ્વાગત છે. ડીકે આરસીબી મેન્સ ટીમ બેટિંગ કોચ અને મેન્ટર હશે. તમે ક્રિકેટમાંથી ક્રિકેટરને વિદાય કરી શકો છો પણ તમે ક્રિકેટને ક્રિકેટમાંથી બહાર નહીં કાઢી શકો. તેમને પ્રેમ આપો. કાર્તિકે કહ્યું, આશા છે કે એક ખેલાડી તરીકે મારો અનુભવ ઉપયોગી થશે.