www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પૂ.રણછોડ દાસજી બાપુ ચેરી ટ્રસ્ટ દ્વારા તા.1 થી 31 જુલાઈ

ગુજરાતના ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં નિ:શુલ્ક સદ્ગુરૂ સુપરમેગા નેત્ર યજ્ઞ યોજાશે


સાંજ સમાચાર

રાજકોટ,તા.1
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા ગુજરાત રાજયનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વિનામુલ્યે 113 (એક સો તેર) શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું તા.1/7/ સોમવારથી તા.31/7 બુધવાર સુધી આયોજન કરેલ છે. આ વિનામુલ્યે શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞમાં દર્દીને જે -તે કેમ્પ સ્થળેથી વિનામૂલ્યે જ સંસ્થાની બસ દ્વારા લઈ આવવા તથા ઓપરેશન બાદ કેમ્પના સ્થળે પરત મુકી જવામાં આવશે. દર્દી રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો શુદ્ધ ઘીનો શીરો, દવા, ટીપા,ચશ્મા, તથા નેત્રમણી વિનામુલ્યે જ બેસાડી આપવામાં આવે છે.તો સર્વે દર્દી તથા જાહેર જનતાને નેત્રયજ્ઞ કેમ્પમાં ભાગ લેવા જણાવાયું છે. 

Print