![]() |
![]() SANJ SAMACHAR | Date: 23-05-2024 Thursday | Rajkot |
|
રાજકોટ, તા.23
શહેરના જરૂરીયાતમંદ નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા 24 વર્ષથી કાર્યરત પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થ કેર ગ્લોબલ (ઇંઈૠ)ના સંયુકત ઉપક્રમે કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે.
જે અંતર્ગત આગામી તા.25ને શનિવારના રોજ કેન્સર નિષ્ણાંત ડો.દુષ્યંત માંડલીક સવારે 9 થી 10 કલાક દરમ્યાન પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ ‘કિલ્લોલ’, 1-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે.
વધુ માહિતી માટે ફોન નં.0281 2704545/2701098 પર સંપર્ક કરવાનો રહેશે.
આ કેમ્પમાં ગુજરાતના તબીબ ડો.દુષ્યંત માંડલીક દ્વારા મોં, ગળું, જડબાના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.