![]() |
![]() SANJ SAMACHAR | Date: 29-06-2024 Saturday | Rajkot |
|
રાજકોટ,તા.29
જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના ચેરમેન ડી. વી. મહેતાનો જન્મદિવસ "સેવા દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેમાં મહારક્તદાન કેમ્પ, જળ સંચય અભિયાન અંતર્ગત બોર રિચાર્જીંગ, ઉમ્મીદ શિક્ષા રથ, વૃક્ષારોપણ, શિક્ષક સેવા કાર્ડ વિતરણ અને મનોદિવ્યાંગ બાળકોને ભેંટ આપી પ્રોત્સાહિત કરવા જેવી પંચામૃત સમાન પાંચ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. ફિલ્ડ માર્શલ બ્લડ બેંકના સહયોગથી મહારકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં વાલીઓ, સ્ટાફ મિત્રો સહિત 100 થી વધુ રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું.