www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચાના મંત્રી સુરેશભાઈ વસરાનો આજે જન્મદિવસ


સાંજ સમાચાર

જામનગરમાં રીયલ એસ્ટેટ ક્ષેત્ર તથા સામાજીક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા મૂળ મોટી ભલસાણ ગામનાં ખેડૂત પુત્ર એવા સુરેશભાઈ વસરાનો આજે જન્મ દિવસ છે.

એક ખેડૂતપુત્ર હોવાને નાતે જન્મજાત ગળથૂથીમાં મળેલાં ખેતી વિષયક જ્ઞાનને ખેડૂતોના ઉત્કર્ષ માટે અનેક કૃષિ જાગૃતતાના કાર્યક્રમો કરી ખેડૂતોને પણ સાથ-સહકાર પૂરાં પાડે છે. આવા વિભિન્ન ક્ષેત્રે સતત કાર્યશીલ સુરેશભાઈ વસરા રાજકીય ક્ષેત્રે છેલ્લા 1ર વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સતત જાગૃત કાર્યકર તરીકે કાર્ય કરી રહયા છે.

2009-11 સુધી જામનગર તાલુકા ભાજપ મંડળના મંત્રીપદે, 2011 ર014 સુધી જામનગર જિલ્લા યુવા ભાજપના મંત્રી પદે તેમજ ર014 થી ર016 સુધી જામનગર જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખપદે અને પ્રદેશ યુવા ભાજપના કારોબારી સભ્ય તરીકે તયા દેવભૂમિ દ્વારકાના પ્રભારી તરીકે તેમજ જામનગર જિલ્લા યુવા ભાજપના પ્રમુખ તરીકે પક્ષના સંગઠનને વિસ્તારવા, મજબૂત કરવા સુરેશભાઈએ પક્ષ પ્રત્યેની તેમની ફરજ પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે નિભાવી છે.

હાલ તેઓ ગુજરાત પ્રદેશ કિશાન મોરચા (ભાજપા) માં પ્રદેશમંત્રી પક્ષમાં નાનામાં નાના કાર્યકરથી લઈને પક્ષના નેતાઓનાં હૃદયમાં સ્થાન મેળવેલું છે. ક્ધસ્ટ્રક્શનના વ્યવસાયની સાથે-સાથે સામાજિક સેવાકીય પવૃતિઓમાં હંમેશાં અગ્રેસર રહેનાર સુરેશભાઈ વસરાએ યુવાનોને રમત-ગમતની પવૃતિમાં પ્રોત્સાહિત કરી શિક્ષણક્ષેત્રે પણ પ્રોત્સાહન પુરૂં પાડયું છે.

એટલું જ નહીં પણ આરોગ્ય ક્ષેત્રે સતત જાગ્રુત રહી રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરી જરૂરિયાતમંદ દર્દીઓને જરૂરી મદદ પૂરી પાડી અનેક લોકોના જીવ બચાવેલ છે. આથી જ આવી અનેક પવૃતિના કારણે તેમણે એક સમાજ સેવક તરીકે બિરૂદ પાપ્ત કર્યું છે. તેમનો મો.નં.99798 50829 છે.

Print